મણિપુરમાં ઉગ્રવાદીઓએ કર્યો હુમલો: CMની એડવાન્સ સુરક્ષાની ટીમ પર કુકી ઉગ્રવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 2 જવાન ઘાયલ
- 10 Jun, 2024
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની એડવાન્સ સુરક્ષા ટીમ પર કુકી ઉગ્રવાદીઓએ ધાત લગાનીને હુમલો કર્યો છે. જિરીબામ જઈ રહેલી અગ્રિમ સુરક્ષા ટીમ પર ઉગ્રવાદીઓએ ત્યારે હુમલો કર્યો, જ્યારે આ ટીમ સીએમના મંગળવારના પ્રવાસ પહેલા જિરીબામ જઈ રહી હતી. મંગળવારે સીએમએ જિરીબામની મુલાકાતે જવાના હતા.
સીઆઈડી રાજ્ય પોલીસ, સીઆઈએસએફ જવાન સહિત 2 સુરક્ષા કર્મચારીઓ આ હુમલામાં ઘાયલ છે. એક ઘાયલને ઈમ્ફાલ મોકલવામાં આવ્યો છે. જિરીબામમાં છેલ્લા 2 દિવસથી હિંસાના સમાચાર આવી રહ્યાં છે અને અહીં સ્થિતિ તણાવપૂર્ણ છે. આ જ સ્થિતિની મુલાકાત લેવા માટે મણિપુરના સીએમ બીરેન સિંહ મંગળવારે જિરીબામની મુલાકાતે છે.
નામ ન કહેવાની શરતે અધિકારીઓએ જણાવ્યું કે અગ્રિમ સુરક્ષા દળ ઈમ્ફાલથી જિરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. ત્યારે સવારે લગભગ 10.30 વાગ્યે રાષ્ટ્રીય હાઈવે-37 પર કાંગપોકપી જિલ્લાના કોટલેનની પાસે ટી લાઈજાંગ ગામમાં હુમલો થયો હતો. આ દરમિયાન બે સુરક્ષા કર્મચારી ઘાયલ થયા છે. હાલ પોલીસ કમાન્ડો અને અસમ રાઈફલ્સની સંયુક્ત ટીમ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
સીએમ સિંહ 6 જૂને અજ્ઞાત હુમલાખોરો દ્વારા એક વ્યક્તિનું માથું કપાઈ ગયા પછી જિલ્લામાં થયેલી તાજેતરની હિંસાના સિલસિલામાં મંગળવારે જિરીબામ જિલ્લાની મુલાકાતે હતા. આ ઘટનામાં 70 જેટલા ઘર, કેટલાક સરકારી કાર્યાલયમાં આગ લગાવવામાં આવી હતી. તેના પગલે ઘણાં બધા લોકો આ વિસ્તારમાંથી ભાગી ગયા હતા.